You can access the distribution details by navigating to My pre-printed books > Distribution
પ્રાચીન વૈદિક સાહિત્યમાં યોગનો ઉલ્લેખ હોવાછતાં, પતંજલિ યોગદર્શન વિશેષરૂપે યોગ અંગેનું સૌથી પ્રમાણિત શાસ્ત્ર ગણાય છે. આ ગ્રંથની રજૂઆત સરળ નાના-નાના સુત્રોરૂપે થઇ હોવાથી પતંજલિ યોગ સૂત્ર તરીકે પણ ઓળખાય છે. ચિત્તવ્રુતિઓનો નિરોધ એ યોગ છે. તેને કોઈ ધર્મ સાથે લેવાદેવા નથી. કહેવાય છે કે યોગ અનાદિ છે. મહર્ષિ પતંજલિ પહેલા પણ યોગનું અસ્તિત્વ હતું જ. એટલે એવા પરંપરાગત યોગ શાસ્ત્ર ના નીતિ-નિયમો ને પોતાની ભાષામાં સમજાવવા માટે પતંજલિએ યોગ સુત્રો લખ્યા. આસન, પ્રાણાયામ વગેરે હઠયોગનાં યોગભ્યાસો શરુ કરતા પહેલા અથવા યોગ નો કોઈ પણ પ્રકારનો અભ્યાસ શરુ કરતા પહેલા યોગનું મુખ્ય દર્શન શું છે એ જાણી લેવું જોઈએ. યોગનું અનુશાસન એટલે કે નીતિનિયમ અને યોગનો મુખ્ય ઉદેશ્ય શું છે એ સમજી લેવા અત્યંત જરૂરી છે. યોગ સુત્રોના અમુક ભાષ્યોમાં સમાધિ એટલે યોગ એવું કહેવામાં આવ્યું છે. એનો મતલબ એવો થયો કે એક વસ્તુ કે વિચાર પર જ્યારે ધ્યાન કેન્દ્રિત થઇ જાય અને ધ્યાન કરનાર વ્યક્તિ પોતાનું અસ્તિત્વ પણ...
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book મનોયોગ.