You can access the distribution details by navigating to My pre-printed books > Distribution
આ ગ્રંથ, દસ લાખ વર્ષે પ્રગટેલા એ અક્રમ વિજ્ઞાની પરમ પૂજ્ય દાદાશ્રીના જીવન, તેમના દ્વારા પ્રબોધાયેલ ક્રાંતિકારી ‘અક્રમ વિજ્ઞાન’ અને તેમની જગત કલ્યાણની અવિરત ભાવધારાને ઉજાગર કરવાનો પ્રયાસ કરે છે. તે વાચકને દાદાશ્રીના જ્ઞાનની ગહનતા, તેમની કારુણ્યતા અને અક્રમ માર્ગની અદ્ભુત સરળતાનો પરિચય કરાવશે. એમની ભાવનાની ફલશ્રુતિ રૂપે તેઓ પોતે વીતરાગ હોવા છતાંય દેશ-વિદેશ વિચરણ કરી જીવોને દુઃખમુક્ત કરવા અને મોક્ષમાર્ગે વાળવા નિરંતર પ્રયત્નશીલ રહ્યા.જીવમાત્ર પ્રત્યેની અત્યંત કરુણાથી પ્રેરાઈને તેમણે અંતિમ સમય સુધી જગત કલ્યાણનું કાર્ય અકર્તા ભાવે ચાલુ રાખ્યું હતું. દાદાશ્રીના જ શ્રીમુખે વહેલી જ્ઞાનવાણીમાંથી સંકલિત થયેલ આ ગ્રંથ સહુને જ્ઞાની પુરુષની વિશેષ ઓળખાણ થવામાં નિમિત્ત બને એ જ અંતરની અભિલાષા.
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book જ્ઞાની પુરુષ ‘દાદા ભગવાન’ ભાગ-૬.