You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution

Add a Review
Type: Print Book
Genre: Religion & Spirituality
Language: Gujarati
Price: ₹278 + shipping
Price: ₹278 + shipping
Dispatched in 5-7 business days.
Shipping Time Extra

Description

મનુષ્યનું જીવન એક સંગ્રામ જેવું છે. એમાં આવતી અનેકવિધ આધિ, વ્યાધિ, ઉપાધિ, સંકટો, મુશ્કેલીઓ, આપત્તિઓ, મૂંઝવણો સામે ઝઝૂમતા રહેવાનું છે-રહેવું પડે છે. રણક્ષેત્રમાં જેમ અર્જુન વિવશ, વ્યાકુળ થયો હતો, ભાંગી પડ્યો હતો, તેવી જ રીતે સૌ મનુષ્યો આપત્તિના કાળમાં, મૂંઝવણના સમયમાં કિંકર્તવ્યમૂઢ બની જાય છે. પરંતુ વિવશતા-વ્યાકુળતા-કિંકર્તવ્યમૂઢતામાંથી બહાર આવી પરિસ્થિતિનો ઉકેલ તો લાવવો જ પડે છે. મનુષ્ય પોતાની જાતમાં, પોતાના પ્રયત્નમાં, પોતાના ધ્યેયમાં, પોતાના ગન્તવ્ય સ્થાનમાં જો નિશ્ચળ ને નિશ્ચયી હોય તો તે અવશ્ય પરિસ્થિતિનો ઉકેલ પ્રાપ્ત કરી શકે છે, તેનામાં એક પ્રકારની આત્મપ્રતીતિ આવે છે, જેનાથી તે સારાસારને સમજીને-ઓળખીને તેના સ્વીકાર-પરિહારનો નિર્ણય કરી આગળ વધવા પ્રવૃત્ત બને છે.
મારી પાસે તો શ્રધ્ધા અને શરણાગતિના બે રાજમાર્ગો છે. મનુષ્ય પોતાના ભૌતિક કે આધ્યાત્મિક ઉભય જીવનમાં આ બે રાજમાર્ગને અપનાવે તો ચોક્કસ સુખ, સંતોષ ને આનંદ પ્રાપ્ત કરી શકે છે. જીવનની ભૌતિક કે આધ્યાત્મિક કોઈ પણ બાબતમાં શ્રધ્ધાપૂર્વક પ્રયત્ન કરીશું, તે અંગે વિચારીશું તો અવશ્ય માર્ગ મળશે, શાંતિ મળશે, સ્વસ્થતા રહેશે.
હું...

About the Author

પૂજ્ય રાજયોગી નરેન્દ્રજી

“હું છું ને તું છે, હું દ્રશ્યમાં તું અદ્રશ્યમાં,
હું માં અંશ તારો, પ્રતિબિંબ તારું જ ભાસે.”

આ શબ્દો છે પૂજ્ય શ્રી રાજયોગી નરેન્દ્રજીના. તેઓ અનંત અને વ્યાપ્ત આદિ શક્તિના નિરાકાર પાપણામાંથી જ ઉદ્દભવેલુ સગુણ સાકાર સર્જન છે. આજથી(7.09.2021) બરાબર 90 વર્ષ પૂર્વે આ અનંતનો અંશ અવતાર બ્રહ્માંડમાંથી વસુંધરાને પ્રાપ્ત થયો હતો.

વિશાળ વસુંધરામાં ભારતદેશમાં ગુજરાતના ખેડા જિલ્લાના બીરપુર નગરમાં રાજવૈધ તરીકે બહુશ્રુત શ્રી બાપુલાલ દવે અને તેમના શિવભક્તિ પારાયણ ધર્મ પત્ની શ્રીમતી પરસનબેન નું દિવ્ય દામ્પત્ય પરમશક્તિ નો દિવ્ય અંશ ને પુત્ર રૂપે પ્રગટ કરવાનું પવિત્ર માધ્યમ હતું.

ઇ.સ. 1932 ના સપ્ટેમ્બર મહીનાની 7મી તારીખે, ભાદ્રપદ શુકલ અષ્ટમી એટલે કે રાધાષ્ટમીની પવિત્ર તિથિએ ગોધરા મુકામે પરસનબેને પોતાની પવિત્ર કુખેથી આ પુત્ર રત્નને પ્રકટ કર્યો ત્યારે પરમશક્તિના એ અંશે સુંદર માનવ દેહ ધારણ કરીને જન્મ લીધો હતો અને નરેન્દ્ર નામ ધારણ કર્યું.

જગતજનનીને પોતાનો એ માનવ રૂપમાં અવતરેલો અંશ એટલો પ્રિય હતો કે ચાર માસ ની...

Book Details

Number of Pages: 176
Dimensions: 7"x9"
Interior Pages: B&W
Binding: Paperback (Perfect Binding)
Availability: In Stock (Print on Demand)

Ratings & Reviews

Shraddha

Shraddha

(Not Available)

Review This Book

Write your thoughts about this book.

Currently there are no reviews available for this book.

Be the first one to write a review for the book Shraddha.

Other Books in Religion & Spirituality

Shop with confidence

Safe and secured checkout, payments powered by Razorpay. Pay with Credit/Debit Cards, Net Banking, Wallets, UPI or via bank account transfer and Cheque/DD. Payment Option FAQs.