You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution
મનુષ્યનું જીવન એક સંગ્રામ જેવું છે. એમાં આવતી અનેકવિધ આધિ, વ્યાધિ, ઉપાધિ, સંકટો, મુશ્કેલીઓ, આપત્તિઓ, મૂંઝવણો સામે ઝઝૂમતા રહેવાનું છે-રહેવું પડે છે. રણક્ષેત્રમાં જેમ અર્જુન વિવશ, વ્યાકુળ થયો હતો, ભાંગી પડ્યો હતો, તેવી જ રીતે સૌ મનુષ્યો આપત્તિના કાળમાં, મૂંઝવણના સમયમાં કિંકર્તવ્યમૂઢ બની જાય છે. પરંતુ વિવશતા-વ્યાકુળતા-કિંકર્તવ્યમૂઢતામાંથી બહાર આવી પરિસ્થિતિનો ઉકેલ તો લાવવો જ પડે છે. મનુષ્ય પોતાની જાતમાં, પોતાના પ્રયત્નમાં, પોતાના ધ્યેયમાં, પોતાના ગન્તવ્ય સ્થાનમાં જો નિશ્ચળ ને નિશ્ચયી હોય તો તે અવશ્ય પરિસ્થિતિનો ઉકેલ પ્રાપ્ત કરી શકે છે, તેનામાં એક પ્રકારની આત્મપ્રતીતિ આવે છે, જેનાથી તે સારાસારને સમજીને-ઓળખીને તેના સ્વીકાર-પરિહારનો નિર્ણય કરી આગળ વધવા પ્રવૃત્ત બને છે.
મારી પાસે તો શ્રધ્ધા અને શરણાગતિના બે રાજમાર્ગો છે. મનુષ્ય પોતાના ભૌતિક કે આધ્યાત્મિક ઉભય જીવનમાં આ બે રાજમાર્ગને અપનાવે તો ચોક્કસ સુખ, સંતોષ ને આનંદ પ્રાપ્ત કરી શકે છે. જીવનની ભૌતિક કે આધ્યાત્મિક કોઈ પણ બાબતમાં શ્રધ્ધાપૂર્વક પ્રયત્ન કરીશું, તે અંગે વિચારીશું તો અવશ્ય માર્ગ મળશે, શાંતિ મળશે, સ્વસ્થતા રહેશે.
હું...
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book Shraddha.