You can access the distribution details by navigating to My pre-printed books > Distribution

Add a Review

Sharnagati (eBook)

Type: e-book
Genre: Religion & Spirituality
Language: Gujarati
Price: ₹7
(Immediate Access on Full Payment)
Available Formats: PDF

Description

ઈશ્વરના અસ્તિત્વનો પરિચય પ્રાપ્ત કર્યા પછી તેની પ્રતીતિઓ મેળવવાની પાત્રતા સુધીની માનવીની-ઉપાસકની મનોયાત્રા એ ઉપાસના છે, ભક્તિ છે. ઉપાસનાનો દુષ્કર માર્ગ, ભક્તિનો અનન્ત પ્રદેશ ઉપાસકની ઈશ્વરના અસ્તિત્વની પ્રતીતિના પ્રકાશને આશ્રયે સરળ બની જાય છે.
પણ આ પ્રતીતિ શરણાગતિ વિના હાંસલ થઈ શકતી નથી. શરણાગતિ એ ખુબ સૂક્ષ્મ બાબત છે. આ શરણાગતિ અનેકવિધ રીતે હાંસલ થઈ શકે છે. એના વિભિન્ન પાસાંઓની મેં મારા અનુભવોના આધારે આ પુસ્તકમાં છણાવટ કરી છે. શરણાગતિને હાંસલ કરવા ઉપકારક એવા કેટલાક ‘આધ્યાત્મિક કેડી'ના લેખોની પસંદગી કરી અત્રે શરણાગતિના મૂળભૂત, ઊંડા, સૂક્ષ્મ રહસ્યને સમજવાનો-સમજાવવાનો મારો ઉપક્રમ રહ્યો છે ને તેથી જ પુસ્તકનું નામ પણ ‘શરણાગતિ’ રાખવાનું ઉચિત સમજ્યો છું.
અત્રે આપેલી તમામ હકીકતો મારા અનુભવમાંથી તેમ જ માતાજીના આદેશ, સંકેત, પ્રેરણાને આધારે પ્રાપ્ત કરેલી છે.

About the Author

શ્રી રાજયોગી નરેન્દ્રજી
પૂજ્ય રાજયોગી નરેન્દ્રજી
“હું છું ને તું છે, હું દ્રશ્યમાં તું અદ્રશ્યમાં,
હું માં અંશ તારો, પ્રતિબિંબ તારું જ ભાસે.”

આ શબ્દો છે પૂજ્ય શ્રી રાજયોગી નરેન્દ્રજીના. તેઓ અનંત અને વ્યાપ્ત આદિ શક્તિના નિરાકાર પાપણામાંથી જ ઉદ્દભવેલુ સગુણ સાકાર સર્જન છે. આજથી(7.09.2021) બરાબર 90 વર્ષ પૂર્વે આ અનંતનો અંશ અવતાર બ્રહ્માંડમાંથી વસુંધરાને પ્રાપ્ત થયો હતો.

વિશાળ વસુંધરામાં ભારતદેશમાં ગુજરાતના ખેડા જિલ્લાના બીરપુર નગરમાં રાજવૈધ તરીકે બહુશ્રુત શ્રી બાપુલાલ દવે અને તેમના શિવભક્તિ પારાયણ ધર્મ પત્ની શ્રીમતી પરસનબેન નું દિવ્ય દામ્પત્ય પરમશક્તિ નો દિવ્ય અંશ ને પુત્ર રૂપે પ્રગટ કરવાનું પવિત્ર માધ્યમ હતું.

ઇ.સ. 1932 ના સપ્ટેમ્બર મહીનાની 7મી તારીખે, ભાદ્રપદ શુકલ અષ્ટમી એટલે કે રાધાષ્ટમીની પવિત્ર તિથિએ ગોધરા મુકામે પરસનબેને પોતાની પવિત્ર કુખેથી આ પુત્ર રત્નને પ્રકટ કર્યો ત્યારે પરમશક્તિના એ અંશે સુંદર માનવ દેહ ધારણ કરીને જન્મ લીધો હતો અને નરેન્દ્ર નામ ધારણ કર્યું.

જગતજનનીને પોતાનો એ માનવ રૂપમાં અવતરેલો અંશ એટલો પ્રિય હતો કે ચાર માસ...

Book Details

Publisher: Aum Maa Aum Parivar
Number of Pages: 99
Availability: Available for Download (e-book)

Ratings & Reviews

Sharnagati

Sharnagati

(Not Available)

Review This Book

Write your thoughts about this book.

Currently there are no reviews available for this book.

Be the first one to write a review for the book Sharnagati.

Other Books in Religion & Spirituality

Shop with confidence

Safe and secured checkout, payments powered by Razorpay. Pay with Credit/Debit Cards, Net Banking, Wallets, UPI or via bank account transfer and Cheque/DD. Payment Option FAQs.