You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution

Add a Review
Type: Print Book
Genre: Religion & Spirituality
Language: Gujarati
Price: ₹1,212 + shipping
This book ships within India only.
Price: ₹1,212 + shipping
Dispatched in 10-12 business days.
Shipping Time Extra

Description

મનુષ્યનું જીવન એક સંગ્રામ જેવું છે. એમાં આવતી અનેકવિધ આધિ, વ્યાધિ, ઉપાધિ, સંકટો, મુશ્કેલીઓ, આપત્તિઓ, મૂંઝવણો સામે ઝઝૂમતા રહેવાનું છે-રહેવું પડે છે. રણક્ષેત્રમાં જેમ અર્જુન વિવશ, વ્યાકુળ થયો હતો, ભાંગી પડ્યો હતો, તેવી જ રીતે સૌ મનુષ્યો આપત્તિના કાળમાં, મૂંઝવણના સમયમાં કિંકર્તવ્યમૂઢ બની જાય છે. પરંતુ વિવશતા-વ્યાકુળતા-કિંકર્તવ્યમૂઢતામાંથી બહાર આવી પરિસ્થિતિનો ઉકેલ તો લાવવો જ પડે છે. મનુષ્ય પોતાની જાતમાં, પોતાના પ્રયત્નમાં, પોતાના ધ્યેયમાં, પોતાના ગન્તવ્ય સ્થાનમાં જો નિશ્ચળ ને નિશ્ચયી હોય તો તે અવશ્ય પરિસ્થિતિનો ઉકેલ પ્રાપ્ત કરી શકે છે, તેનામાં એક પ્રકારની આત્મપ્રતીતિ આવે છે, જેનાથી તે સારાસારને સમજીને-ઓળખીને તેના સ્વીકાર-પરિહારનો નિર્ણય કરી આગળ વધવા પ્રવૃત્ત બને છે.
મારી પાસે તો શ્રધ્ધા અને શરણાગતિના બે રાજમાર્ગો છે. મનુષ્ય પોતાના ભૌતિક કે આધ્યાત્મિક ઉભય જીવનમાં આ બે રાજમાર્ગને અપનાવે તો ચોક્કસ સુખ, સંતોષ ને આનંદ પ્રાપ્ત કરી શકે છે. જીવનની ભૌતિક કે આધ્યાત્મિક કોઈ પણ બાબતમાં શ્રધ્ધાપૂર્વક પ્રયત્ન કરીશું, તે અંગે વિચારીશું તો અવશ્ય માર્ગ મળશે, શાંતિ મળશે, સ્વસ્થતા રહેશે.
હું તો એટલે સુધી કહીશ કે જેમણે શ્રધ્ધા ને શરણાગતિના રાજમાર્ગો અપનાવ્યા છે તેમને માટે ભૌતિક કે આધ્યાત્મિક એવા જુદા ચોકા શા માટે ? તેવાનું જીવન સ્વયં એક સાધના-તપસ્યા કે ઉપાસના જેવું બની જાય છે. મનુષ્યની તમામ સ્થૂળ-સૂક્ષમ પ્રવૃત્તિઓમાં શ્રધ્ધા, સાત્વિકતા ને પવિત્રતા હોય તો તે એક આધ્યાત્મિક વ્યાયામ જ બની જાય છે. કહેવાનું તાત્પર્ય કે આપણને આપણી તમામ પ્રવૃત્તિમાં શ્રધ્ધા હોવી જોઈએ. શ્રધ્ધા વિનાનું જીવન નકામું છે.
આપણે આપણી વૃત્તિ ને પ્રવૃત્તિને સાત્વિક બનાવીએ, અસ્તિત્વને
પવિત્ર બનાવીએ તો એમાંથી શ્રધ્ધાના સૂર આપોઆપ રણઝણી ઊઠશે. જીવનના પ્રત્યેક સોપાન પર પરમતત્વના સાન્નિધ્યની પ્રતીતિ રાખીએ. જીવનનું નાનું મોટું કેઈપણ કાર્ય, પ્રવૃત્તિ એ ઈષ્ટની ભક્તિ ને સેવા કાજે જ છે તેવી પ્રતીતિ કેળવીએ. શ્રધ્ધા સંપાદન કરીએ. શ્રધ્ધા પરમતત્વ જેવી સનાતન, સર્વવ્યાપક, ગહન ને અનુભવગમ્ય છે. જેટલી શ્રધ્ધા તેટલી સફળતા. સફળતા મેળવવી હોય તો શ્રધ્ધા સેવવી જરૂરી છે.
શ્રધ્ધાપૂર્વક ઉપાસનામય જીવન જીવતાં ભૌતિક-આધ્યાત્મિક જે કોઈ પ્રશ્નો ઉદભવી શકે તેના માર્ગદર્શન માટે આ પુસ્તકમાં વિષયો સમાવ્યા છે.
શ્રધ્ધાનાં વિવિધ પરિણામ ને પરિમાણ અનુભવ્યા પછી આ પુરતકને ‘શ્રધ્ધા’ના નામથી ઓળખાવવા પ્રેરાયો છું.
તમે સૌ પણ શ્રધ્ધા ને શરણાગતિ વડે માતાજીની-પરમતત્વની અઢળક કૃપા મેળવો તેવી મારી શુભેચ્છા ને આશિષ છે.
નરેન્દ્ર બી. દવે – શાસ્ત્રીજી

About the Author

પૂજ્ય રાજયોગી નરેન્દ્રજી
“હું છું ને તું છે, હું દ્રશ્યમાં તું અદ્રશ્યમાં,
હું માં અંશ તારો, પ્રતિબિંબ તારું જ ભાસે.”

આ શબ્દો છે પૂજ્ય શ્રી રાજયોગી નરેન્દ્રજીના. તેઓ અનંત અને વ્યાપ્ત આદિ શક્તિના નિરાકાર પાપણામાંથી જ ઉદ્દભવેલુ સગુણ સાકાર સર્જન છે. આજથી (7.09.2021) બરાબર 90 વર્ષ પૂર્વે આ અનંતનો અંશ અવતાર બ્રહ્માંડમાંથી વસુંધરાને પ્રાપ્ત થયો હતો.

વિશાળ વસુંધરામાં ભારતદેશમાં ગુજરાતના ખેડા જિલ્લાના બીરપુર નગરમાં રાજવૈધ તરીકે બહુશ્રુત શ્રી બાપુલાલ દવે અને તેમના શિવભક્તિ પારાયણ ધર્મ પત્ની શ્રીમતી પરસનબેન નું દિવ્ય દામ્પત્ય પરમશક્તિ નો દિવ્ય અંશ ને પુત્ર રૂપે પ્રગટ કરવાનું પવિત્ર માધ્યમ હતું. Read More…

શ્રી રાજયોગી નરેન્દ્રજી
નવ સૂત્રો
નવસૂત્રો એ પરમની કૃપા દ્વારા દર્શાવેલ આદેશોનું સંકલન છે. આ નવસૂત્રોનું આચરણ, નિ:સ્વાર્થ સેવા અને આદેશોનું અક્ષરસઃ પાલન કરવાથી વ્યક્તિ જીવનમાં રાહત અનુભવે છે, સફળતા પ્રાપ્ત કરે છે.

ગીતાજીના સારરૂપ નવસિધ્ધાંતોનું આચરણ સંસારસાગરમાં તરવાની, પાર ઉતરવાની નાવ છે.

મા ભગવતીને કે આપના ઈષ્ટદેવને આપની જીવન નાવના ખેવૈયા – નાવિક બનાવજો, અર્જુનની જેમ પ્રેરણા, આદેશ અને માર્ગદર્શનનું અક્ષરસઃ પાલન કરજો.

ઇષ્ટમાં સમ્પૂર્ણ શ્રદ્ધા અને શરણાગતિ

નિ:સહાયને સહાય કરવી.

દુ:ખિયોના દિલનાં આંસુડા લૂંછવા.

કોઈની ઈર્ષ્યા કરવી નહિં.

કોઈની સાથે વિશ્વાસઘાત કરવો નહિં.

પરનિંદાથી દૂર રહેવું.

પુરૂષાર્થને અગ્રતા આપી સતત કાર્યશીલ રહેવું.

નિ:સ્વાર્થ સેવા કરવી.

અહમનો ત્યાગ કરવો.
Read More
શ્રી રાજયોગી નરેન્દ્રજી
ચાર માસ્ટર કી
આજના કલુષિત સમાજ અને કુટુંબનું નવસર્જન કરવા માટે અને આર્યસંસ્ક્રુતિને પુનર્જિવિત કરવા માટે આપે કટિબદ્ધ થવું જોઈએ.

કેવી રીતે થવું? શું કરવું? કેવી રીતે પૂજ્ય શ્રીના નવ્સર્જનમાં ભાગીદાર થઈએ?
આ માટે પૂજ્ય શ્રી નું સૂચન છે, ” આજથીજ તમે સહુ સાચા અર્થમાં માનવ બનવા માટે માનવીય ગુણો કેળવવા માટે માનવતાના મૂલ્યોને અપનાવવા પડે.

આપણો સંસારતો પરમાત્માનું સાકાર સ્વરૂપ છે. તેના મૂળમાં દેવત્વ રહેલું છે. સંસારની પ્રત્યેક વ્યક્તિ, માતા, પિતા, ભાઈ, બહેન, પતિ, પત્ની સમાજના નજીકના અને દૂરના સાગા, મિત્રો, સહકાર્યકર્તાઓ વિગેરેની સાથે પ્રેમભાવ રાખીએ, સહૃદયતા કેળવીએ. સંસારની પ્રત્યેક વસ્તુ પરમાત્મામય છે તેમ સમજી તેની સાથે પ્રેમાળ,મૃદુ વર્તાવ કરો અને પછી તમે જાતેજ અનુભવશો કે તમારા માટે બધાજ આત્મિય છે અને તમે બધાના આત્મિયજન છો. તમારા માટે બધાંને મન અને પ્રેમ ઉદ્ભવશે, તમારી પ્રેમમય ભાવનાની ભવ્યતાને લીધે તમારી ઉપસ્થિતિથી જ સમગ્ર વાતાવરણમાં દિવ્યતા પ્રગટશે.

આવો પ્રેમાળ સ્વભાવ અને જીવન ઘડતર મારો પ્રત્યેક શિષ્ય કેળવે અને આચરણમાં મૂકે તો જીવનમાં સાચી માનવતા પ્રગટે, મારે તો સંસારને સરળતા, સહૃદયતા, સહકાર અને સંભાવથી તરવા માટે ” માસ્ટર કી” આપવી છે.

આપ કોઈ પણ ” માસ્ટર કી” અપનાવો અને આપણી માનવતા મહેંકી ઉઠશે.

પ્રેમ માર્ગ (પ્રેમાળ વર્તન)
તમારા સંપર્ક માં આવતી પ્રત્યેક વ્યક્તિને નિઃસ્વાર્થ, નિર્મળ,નિર્દોષ પ્રેમથી સભર કરી દો. બદલામાં તમને પ્રેમ જ મળશે. થોડી રાહ જોવી પડે તો ધીરજ રાખજો, નાસીપાસ ન થશો.

જ્ઞાન માર્ગ (સમજણભર્યું વર્તન)
તમે જો પ્રેમાળ વર્તન દાખવી શકતા ન હો, પ્રેમ કરવાનું તમને પરવડે તેમ ન હોય તો સામી વ્યક્તિ કે જે તમારા સંપર્કમાં આવે તેના વાણી,વર્તન, વ્યહવારને સમજવાનો પ્રયત્ન કરો. તેના દ્રષ્ટિકોણને સમજો. તેના ભાવને સમજવાનો પ્રયત્ન કરો. તમારી સાચી અને રાગદ્વેષ શક્તિની સમજણથી વાતાવરણમાં ક્લુષિતતા પ્રવેશતી અટકી જશે. તમારી સમજણથી સબંધો સંધાઈ જશે, વિખરાઈ જતા, તૂટી જતા અટકી જશે.

સહન માર્ગ (સહનશીલતાભર્યું વર્તન)
આપ આપના સાંસારિક અને દુન્યવી સંબંધોમાં સમજણનો માર્ગ પણ ન અપનાવી શકતા હો તો તમારે સહનશીલ બનવું પડે. સંપર્કમાં આવતી પ્રત્યેક વ્યક્તિઓની તમને લગતી કે સ્પર્શતી હકીકતોને સહન કરતા શીખો. આવા પ્રસંગે શબ્દોની સોદાબાજી, વાણીનો વિલાસ કે ભાષાની ભવાઈ કરવાને બદલે મૌન રહેવાનું પસંદ કરો. મૌન રહી, ઇન્દ્રેને આંતર્મુખ કરી માનસિક મંત્ર જાપ, ભાગવત સ્મરણમાં તે સમયને પસાર કરો. સામે કોઈ પ્રતિકાર ન કરો. બને તો વાતાવરણને બદલી નાખો. એકપક્ષીય કટુ વ્યવહારની અવધિ બહુ જ ઓછી હોય છે.

ક્ષમા માર્ગ (ક્ષમાશીલ વર્તન)
તમારા કુટુંબીજનો કે સંપર્કમા આવતી અમુક વ્યક્તિઓના અશિષ્ટ વાણી, વર્તન અને વ્યવહારને મૌન રહીને સહન કરવાની ક્ષમતા પણ ન ધરાવતા હો તો તમે તેની હરકતોને અવગણી માફ કરી દો. " ક્ષમા વિરસ્ય ભૂષણમ" એ ઉક્તિ અનુસાર તમે ક્ષમાનો ગુણ કેળવી લો. સંસારની કોઈ પણ સમસ્યાઓને ઉકેલવા માટે કોઈ એક કે વધુ " માસ્ટર કી" નો ઉપયોગ કરો. માનવતા પ્રગટાવવા અને પ્રસરાવવા માટે જીવનમાં પ્રત્યેક પાળે અને પ્રસંગે " માસ્ટર કી" નો ઉપયોગ કરો.

Book Details

Publisher: Aum Maa Aum parivar
Number of Pages: 176
Dimensions: 7"x9"
Interior Pages: Full Color
Binding: Hard Cover (Case Binding)
Availability: In Stock (Print on Demand)

Ratings & Reviews

Shraddha

Shraddha

(Not Available)

Review This Book

Write your thoughts about this book.

Currently there are no reviews available for this book.

Be the first one to write a review for the book Shraddha.

Other Books in Religion & Spirituality

Shop with confidence

Safe and secured checkout, payments powered by Razorpay. Pay with Credit/Debit Cards, Net Banking, Wallets, UPI or via bank account transfer and Cheque/DD. Payment Option FAQs.