You can access the distribution details by navigating to My pre-printed books > Distribution

Add a Review
Type: e-book
Genre: Religion & Spirituality
Language: Gujarati
Price: ₹100
(Immediate Access on Full Payment)
Available Formats: PDF

Description

સ્વસ્તિક પ્રતિકનાં માનવસમાજમાં ગૌરવશાળી અને આધ્યાત્મિક સ્વરૂપનાં ગુણગાનનાં ભજન, આરતી ગરબા ધૂન ઇત્યાદિનાં આ સ્વસ્તિક પ્રતિક પર સર્વપ્રથમ લખાયેલાં ગુજરાતી પદ્યનાં સંગ્રહ ’સ્વસ્તિકધારા’

About the Authors

શ્રી હેમંતકુમાર ગજાનન પાધ્યાનો જન્મ પહેલાંનાં મુંબઈરાજ્યનાં થાણા જીલ્લાનાં અને હાલનાં ગુજરાત રાજ્યનાં વલસાડ જીલ્લાનાં પારસીઓનાં ઐતિહાસિક સ્થળ સંજાણ નજીક ખત્તલવાડા ગામે થયો હતો. સુરતની પી.ટી.સાયન્સ કોલેજમાં અભ્યાસ કરી દક્ષિણ ગુજરાતની વિશ્વવિદ્યાલયમાં રસાયંણ શાસ્ત્ર અને ભૌતિક્શાસ્ત્રમાં બી.એસસી.ની સ્નાતક પદવી પ્રથમ વર્ગમાં પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ હાફ્કીન ઈંસ્ટીટ્યુટ ઓફ રીસર્ચ એન્ડ બયોફાર્માસ્યુટીકલ , પરેલ, મુંબઈમાં અભ્યાસ કર્યાં બાદ અનુસ્નતક્નાં વધુ અભ્યાસાર્થે ૧૯૭૬માં બર્મિંગહામ, ઈંગ્લંડ, આવ્યાં હતાં. પરદેશમાં આગમન બાદ અભ્યાસની સાથે સાથે તેમણે આર્ય ધર્મ, સંસ્કૃતિ, પરંપરા અને ભાષાને જીવંત અને જ્વલંત બનાવવાં અભિયાનમાં પોતાનો અમુલ્ય ફાળો પ્રદાન કરવાનાં શ્રી ગણેશ કર્યાં હતાં. તેઓ ઈંગ્લંડની કેટલીક સ્થાનિક સંસ્થાનાં સંસ્થાપક પ્રમુખ અને અન્ય રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય સંસ્થાઓનાં સદસ્ય પણ છે. હિંદુ સ્વાતંત્ર્યવીર સ્મૃતિ સંસ્થાનમ નામે તેમણે ૧૯૯૫માં સ્થાપેલ સંશોધન સંસ્થાએ ભારતનાં મહાન ક્રાંતિકારી સ્વાતંત્ર્યસેનાપતિ પંડિત શ્યામજી કૃષ્ણવર્મા અને તેમનાં પત્નીનાં અસ્થિકુંભોને તોંતેર[૭૩] વર્ષ પછી ૨૦૦૩માં ભારત લાવવાનાં ભગીરથ કાર્યમાં મુખ્ય, મહત્વનો અને અગત્યનો ભાગ ભજવ્યો હતો. જીનીવાની સરકાર વીલે ડી જીનીવાનાં હોદ્દેદારો તેમજ શ્યામજીનાં વસિયાતનામાંનાં સંસ્થાપક વકિલ સાથે અનેક પત્રવ્યવહારો અને રૂબરુ મુલાકાતો કરીને તેમની અસ્થિઓને ભારત લાવવામાટેનાં પ્રયત્નને મૂર્ત સ્વરુપ આપ્યું હતું. ઉપરાંત ઈંગ્લંડમાં ક્રાંતિગુરુ રાષ્ટ્રપિતામહ પંડિત શ્યામજી કૃષ્ણવર્માના સંસ્મરણોને સજીવન કરી તેમનાં નામ અને કાર્યને સન્માનીત કરાવવમાં શ્રી હેમંતકુમારનું કાર્યસમર્પણ અને ભક્તિભાવ અપુર્વ અને અણમોલ છે. પંડિત શ્યામજીની સ્મૃતિને ઇંગ્લંડમાં જ્વલંત રાખવાં શ્યામજીનાં હાઈગેટ સ્થિત નિવાસ્થાને સખત પ્રયત્નો બાદ સ્મૃતિ તક્તી લગાવવામાં સફળતા પ્રાપ્ત કરી તેનાં અનવરણ સમારંભમાં એક ચાંદીનો સિક્કો અને સંભારણાં અંક પ્રકાશિત કર્યો હતો. પાંચ વર્ષનાં અથાગ પરિશ્રમ બાદ ઓક્ષફર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃતભાષા, વ્યાકરણ અને સાહિત્ય તેમજ આર્યધર્મ અને ધર્મશાસ્ત્રોનાં અધ્યયન પર અભ્યાસ અને શોધખોળ કરનારાં સુયોગ્ય શંશોધકને દર બે વર્ષે સીલ્વર મેડલનું પારિતોષિક સ્થાપીત કર્યું અને ઈન્ડિયન ઈંસ્ટીટ્યુટની લાયબ્રેરીનાં હોલમાં સર મોનિયર વિલીયમ્સનાં તૈલીચિત્ર સાથે તે હોલમાં પંડિત શ્યામજીનાં ચિત્રને સ્થાન આપવાં સમજાવી ત્યાં પંડિત શ્યામજીનાં ચિત્રનું અનાવરણ પણ કરાવ્યું આ ઉપરાંત પેરીસની સર્બોર્ન યુનિવર્સિટીમાં કોલેજ ડિ ફ્રાન્સમાં પણ પંડિત શ્યામજીની સ્મૃતિમાં રજતચન્દ્ર સ્થાપિત કરાવ્યો છે. પંડિત શ્યામજીની સ્મૃતિને અને કાર્યોનો પ્રચાર પ્રસાર કરવાં માટે તેઓએ ફ્રાન્સ, બ્રિટન અને સ્વિટ્ઝરલેન્ડ્માં વિવિધ જગ્યાએ પ્રદર્શનો યોજ્યાં છે.
વિદ્યાર્થીકાળથી લેખન કાર્ય શ્રી હેમંતકુમારનો શોખ રહ્યો છે. તેઓ કાવ્યો, ભજનો, શૌર્યગીતો નાં કવિ અને ધાર્મિક, રાજકીય અને સામાજીક નિબંધોનાં લેખક પણ છે. આપણાં સ્વસ્તિક પ્રતિક પર પ્રતિબંધ લાદવાનાં યુરોપની ધરાસભાનાં ધારાનો વિરોધ કરવાં લખેલ લેખ ‘’ હેન્ડઝ ઓફ આવર સેક્રેડ સ્વસ્તિકા’ ઘણોજ પ્રખ્યાત છે. સ્વસ્તિક પ્રતિક પ્રત્યે તેમની આસ્થા, આદર અને હાર્દિક માન હોવાથી આર્યધર્મનાં પાવન અને પવિત્ર સ્વસ્તિકનાં સન્માન અને તેની પ્રતિષ્ઠા તેમજ વૈભવને સદાને માટે જળવાય રહે એવું ઈચ્છતી વૈશ્વીક સંસ્થાઓ સાથે કાર્યરત છે. તેઓ સ્વસ્તિક પ્રતિકને પશ્ચિમમાં પુનઃ સન્માન, આદર અને સદભાવના પ્રાપ્ત થાય એ આશયથી લોકોમાં શૈક્ષણીક જાગૃતિ લાવવાનાં પ્રયત્નો પણ કરી રહ્યાં છે. સ્વસ્તિક પ્રતિક પ્રત્યે હેમંતકુમારના ભક્તિભાવ, શ્રદ્ધા અને સમર્પણની ભાવનાંની પુષ્પાંજલી રૂપે તેમણે વિશ્વમાં સર્વપ્રથમ કાવ્યોનું પુસ્તક ‘સ્વસ્તિકામૃત’ હિન્દી ભાષામાં પ્રકાશીત કર્યું હતું. આ પુસ્તક્નાં પ્રકાશન બાદ બીજું પુસ્તક ’ સ્વસ્તિકગંગા’ હિન્દીમાં અને ત્રીજું પુસ્તક ’ સ્વસ્તિકા પોએમ્સ’ ઈંગ્લીશ ભાષામાં પ્રકાશીત કર્યું હતું.
આ ઉપરાંત તેમણે સંસ્થાના સામાયિક પત્રોનું પ્રકાશન, સમાચાર પત્રોમાં લેખો તેમજ પોતાનાં કાવ્યોનું પુસ્તક ‘દર્દ’ અને પોતાનાં લખેલાં રાષ્ટ્રવાદી ગીતોની ઑડિયો સીડી ‘જય હિંદુત્વમ’ પ્રકાશીત કર્યાં છે. ‘સત્યનારાયણની કથા’, ‘હિંદુ ધર્મ’ અને ‘સ્વામિ વિવેકાનંદ’નું સંક્ષિપ્ત જીવન ચરિત્ર વિગેરે પુસ્તકોનું પણ પ્રકાન તેમણે કર્યું હતું. પંડિત શ્યામજી કૃષ્ણવર્માનાં જીવન પર આધારીત સંપૂર્ણ રંગીન, દળદાર અને સર્વપ્રથમ ઐતિહાસિક ચિત્રજીવનીનાં પુસ્તક ‘’ ફોટોગ્રાફિક રેમેનિસન્સ ઓફ પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા’ અને ક્રાંતિકારી પંડિત શ્યામજીકી અમર કહાની’ ડિવીડી પ્રકાશીત કરવાનો શ્રેય શ્રી હેમંતકુમાર ગજાનન પાધ્યાને જ ફાળે જાય છે. ભારતનાં મહાન ક્રાંતિકારી સ્વતંત્ર્ય સેનાની પંડિત શ્યામજીને પોતાની હાર્દિક શબ્દાંજલિ સ્વરૂપ પ્રથમ પુસ્તક ‘કાવ્યાંજલિ’નાં પ્રકાશન બાદ હાલ તેમણે પોતાની કાવ્યકૃતિનું બીજું પુસ્તક ‘શ્રદ્ધાંજલિ’ પણ પ્રકાશિત કર્યું છે. આ ઉપરાંત શ્યામજીની સ્મૃતિને જ્વલંત રાખવાનાં અભિયાનમાં પોતાનાં સંશોધનો અને પ્રાપ્ય માહિતી પર અવલંબિત શ્યામજીનાં જીવન અને કાર્ય પર એક દળદાર પુસ્તક આવતા પ્રકાશિત કરવાની પણ ભાવી યોજના સ્વરૂપ લઈ રહી છે. આ રીતે પરદેશમાં રહેવાં છતાં પણ શ્રી હેમંતકુમારે આપણાં ધર્મ, સંસ્કૃતિ, સાહિત્ય, રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિ જેવાં વિવિધ ક્ષેત્રોમાં પોતાનો અમુલ્ય ફાળો અર્પણ કર્યો છે.

Book Details

Publisher: ઉષા પ્રકાશન
Number of Pages: 70
Availability: Available for Download (e-book)

Ratings & Reviews

સ્વસ્તિકધારા

સ્વસ્તિકધારા

(Not Available)

Review This Book

Write your thoughts about this book.

Currently there are no reviews available for this book.

Be the first one to write a review for the book સ્વસ્તિકધારા.

Other Books in Religion & Spirituality

Shop with confidence

Safe and secured checkout, payments powered by Razorpay. Pay with Credit/Debit Cards, Net Banking, Wallets, UPI or via bank account transfer and Cheque/DD. Payment Option FAQs.