You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution
ગુજરાત એટલે ગરબા, ગરબા એટલે માતૃશક્તિની આરાધના અને આરાધના એટલે શબ્દો, સૂર અને તાલનો દિવ્ય ત્રિવેણી સંગમ. નવરાત્રિના નવલા નોરતાં એ માત્ર એક ઉત્સવ નથી, પરંતુ તે ગુજરાતીઓના લોહીમાં વહેતી એક આગવી સંસ્કૃતિ છે. આપણી આ ભાતીગળ સાંસ્કૃતિક ધરોહરને શબ્દદેહ આપીને, ભાવ અને ભક્તિના તાંતણે ગૂંથીને કાગળ પર ઉતારવાનું ભગીરથ કાર્ય અને આ સુંદર પુસ્તકનું સર્જન કરનાર સર્જક એટલે શ્રીમતી હેતલ પટેલ દેસાઈ. પ્રસ્તુત પુસ્તક ‘ધરોહર’ ખરા અર્થમાં ગુજરાતની લોક સંસ્કૃતિ, ભક્તિભાવ અને ગરબાની પરંપરાનું એક એવું વહાલસોયું સરનામું છે, જ્યાં પહોંચતા જ વાચક અને ભાવક બંને મા જગદંબાના ચાંચર ચોકમાં પહોંચી ગયાની દિવ્ય અનુભૂતિ કરે છે.
હેતલબહેન પટેલ દેસાઈ માત્ર એક લેખિકા જ નથી, પરંતુ તેઓ એક સંગીતકાર, ગાયિકા, શિક્ષિકા અને આચાર્યા તરીકેની બહુમુખી પ્રતિભા ધરાવે છે. આ પાંચેય ભૂમિકાઓનો અદ્ભુત સમન્વય તેમના આ ગરબાસંગ્રહમાં સ્પષ્ટપણે વર્તાય છે. એક ઉત્તમ શિક્ષકા અને આચાર્યા તરીકે તેમનામાં રહેલી શિસ્ત, ભાષા પરની પકડ, સમાજ પ્રત્યેની જવાબદારી અને નૈતિક મૂલ્યો પ્રત્યેનો આદર તેમના ગરબાના શબ્દોમાં નીખરી ઉઠે છે. તેમના શબ્દોમાં ક્યાંય ઓછપ નથી, પરંતુ એક માતૃભાષાના સંવર્ધક તરીકેની ગરિમા અને શુદ્ધતા છલકાય છે. વળી, તેઓ તાલ અને લયના જાણકાર છે. એક ગાયિકા અને સંગીતકાર હોવાના નાતે તેઓ બખૂબી જાણે છે કે કયો શબ્દ કયા ઢાળમાં, કયા લયમાં અને કેવા આરોહ-અવરોહ સાથે બરાબર બેસશે. તેમના ગરબાઓ માત્ર વાંચવા પૂરતા મર્યાદિત નથી, પરંતુ તેને લયબદ્ધ રીતે ગાઈ શકાય, તાળીઓના તાલે ઝીલી શકાય અને તેના પર મન મૂકીને ઝૂમી શકાય તેવી તેમાં ગજબની નાદમધુરતા છે.
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book ધરોહર.